Vastu Tips: સુગંધિત ઘરમાં બની રહે છે સુખ-સમુદ્ધિ, જાણો કેવી રીતે ખુશબુદાર બનાવશો ઘર

જો ઘર સ્વચ્છ અને સુગંધિત હોય તો માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. મા લક્ષ્મીને સ્વચ્છતા અને તાજગી ખૂબ જ પસંદ છે. ધનની દેવી મા લક્ષ્મી સરળતાથી કોઈનાથી પ્રસન્ન થતી નથી. પરંતુ તેમ છતાં માતાને ખુશ રાખવા હોય તો ઘરને સુગંધિત રાખો. સુગંધિત ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે અને વાતાવરણમાં તાજગી પણ આવે છે. તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવે છે. ઘણા લોકો ઘરમાં સુગંધ જાળવી રાખવા માટે રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરે છે. પરંતુ રૂમ ફ્રેશનરની સુગંધ અમુક સમય માટે જ મર્યાદિત હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને સુગંધિત રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

ધૂપ અને અગરબત્તી : ધૂપ અને અગરબત્તી શુભનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, દેવી-દેવતાઓની પૂજા સિવાય તમે તેનો ઉપયોગ ઘરને સુગંધિત બનાવવા માટે પણ કરી શકો છો. સુગંધથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહેશે અને ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહેશે.

લોબાન : ઘરને સુગંધિત બનાવવા માટે તમે લોબાનનો ઉપયોગ કરી શકો છો. લોબાનના ધુમાડાથી તમે ઘરને સકારાત્મક બનાવી શકો છો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા પણ ખતમ થશે અને દેવી-દેવતાઓનો પણ ઘરમાં વાસ થશે.

તાજા ફૂલો કરશે કામ : ઘરને કુદરતી સુગંધ આપવા માટે તમે તાજા ફૂલોનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે કાચના વાસણમાં ગુલાબની પાંખડીઓ નાખીને તમારા ઘરમાં રાખી શકો છો. આને ઘરમાં રાખવાથી તમારા ઘરમાં સુગંધ જળવાઈ રહેશે અને ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહેશે.

ચંદન : વાસ્તુશાસ્ત્ર અનુસાર ચંદન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સુગંધ વધારવા માટે તમે ઘરે તેનો ઉપયોગ કરી શકો છો. તેની સુગંધ મનને શાંતિ આપે છે. આ સિવાય તમે ઘરને સુગંધિત બનાવવા માટે કપૂર અને લવિંગનો પણ ઉપયોગ કરી શકો છો.

Team Dharmik