તમને ખબર છે? મૃત્યુ બાદ શરીરમાંથી કઈ જગ્યાએથી નીકળે છે આત્મા? જાણો મોટું રહસ્ય

મૃત્યુ સમયે ક્યાં અંગ માંથી બહાર નીકળે છે આત્મા અને કઈ જગ્યા પરથી આપણો જીવ બહાર આવે છે? જાણો બધું જ

જન્મ અને મૃત્યુ દરેક જન્મ લેનાર સાથે જોડાયેલી એક નિશ્ચિત બાબત છે, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ પણ નિશ્ચિત હોય છે, એ પછી ભગવાન પણ કેમ ના હોય, ઈશ્વર પણ જયારે આ ધરતી ઉપર માનવ અવતાર ધારે છે ત્યારે તેમનું પણ મૃત્યુ થયેલી આપણે સાંભળ્યું છે. જન્મ કેવી રીતે થાય છે તેના વિશે તો દરેક લોકો જાણે છે પરંતુ મૃત્યુ બાદ શરીરમાંથી આત્મા કઈ જગ્યાએથી નીકળે છે તે કદાચ ઘણા જ ઓછા લોકોને ખબર હશે.

આજે અમે તમને આ રહસ્ય વિશે અવગત કરાવીશું, ઘણી વાર્તાઓમાં અને ફિલ્મો તેમજ ટીવીમાં આપણે જોયું હશે કે માણસના મૃત્યુ બાદ તેના શરીરમાંથી આત્મા નીકળે છે, પરંતુ એ બધી બાબતો કાલ્પનિક લાગે. પરંતુ આજે તમને એ હકીકતથી અમે વાકેફ કરાવીશું કે મૃત્યુ બાદ મનુષ્યના શરીરમાંથી આત્મા ક્યાંથી નીકળે છે.

આપણા મગજમાં આત્મા વિશેના ઘણા વિચારો ચાલતા હશે, આત્માનો કોઈ આકાર હોતો હશે? તેનું કોઈ રૂપ રંગ હશે ? શું તે મનુષ્યના ચહેરાના જેવી જ દેખાતી હશે?  આ આત્મા કેવી રીતે બહાર નીકળે છે/ આ બધું જ જણાવાની દરેકની જિજ્ઞાસા પણ હોય છે.

ગ્રૃડ પુરાણમાં જણાવ્યા અનુસાર મનુષ્યના શરીરમાં 10 અંગો એવા હોય છે જે હંમેશા ખુલ્લા હોય છે.  જેમાં બે આંખો, નાક ના બે કાણા, મોઢું અને મળ મૂત્ર વિસર્જન દ્વાર અને છેલ્લે આવે છે માથાના વચ્ચેના ભાગમાં આવેલું તાળવું. બાળકનો જયારે જન્મ થાય છે ત્યારે તેના માથાનો સ્પર્શ  કરીને તમે એ છિદ્રને અનુભવી શકો છો. એવું પણ કહેવામા આવે છે કે જયારે માતાના ગર્ભની અંદર બાળકના શરીરની અંદર આત્માનો પ્રવેશ આ છિદ્ર દ્વારા જ થાય છે.

એવું પણ કહેવામાં આવે છે કે માણસ જે પ્રમાણેના કર્મ કરે છે, તે પ્રકારે જ તેના મૃત્યુ બાદ તેના કર્મોના આધારે તેના શરીરના એ ભાગમાંથી આત્મા બહાર નીકળે છે. જેમ કે સારા કર્મો કરનારની આત્મા માથાના તાળવામાંથી બહાર નીકળે છે. અને ખરાબ કર્મો કરનાર વ્યક્તિની આત્મા ગુપ્તાંગો ના છિદ્ર દ્વારા નીકળે છે  જેના કારણે તેમને ખુબ જ પીડા પણ થાય છે.

એવું પણ માનવામાં આવે છે કે સાત્વિક આત્માઓને દેવદૂતો પોતાની સાથે સ્વર્ગમાં લઈને જાય છે અને ખરાબ આત્માઓને યમદૂતો બંધનોમાં બાંધીને યમલોક લઇ જાય છે. જયારે શરીરનું દહન કરવામાં આવે છે ત્યારે આત્માને પાછી પૃથ્વી લોક ઉપર લાવવામાં આવે છે અને તેમને તેમનો અંતિમ સંસ્કાર બતાવવામાં પણ આવે છે. આ દરમિયાન આત્મા એ શરીરમાં પાછો પ્રવેશ મેળવવા માટે તડપે છે, પરંતુ બંધનોમાં બંધાઈ હોવાના કારણે તે શરીરમાં પ્રવેશ કરવા માટે અસમર્થ રહે છે.

18 પુરાણોમાના એક પુરાણ ગરુડ પુરાણમાં પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક ઉપરત્ન ઘણી એવી વાતો જણાવવામાં આવી છે જે  વાંચીને તમને પણ ઘણા આશ્ચર્યો થશે અને ઘણી માહિતી પણ મળશે, વિજ્ઞાન, ધર્મ, નીતિનું વર્ણન પણ તેમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. આ પવિત્ર ધાર્મિક ગ્રંથનો પાઠ દરેક કોઈએ કરવો જોઈએ.

Duniya Dharmik