મોટાભાગે લોકો પોતાના મનમાં એ જાણતા જ હોય છે કે તેમણે પોતાના જીવનમાં કેટલા પાપ અને પુણ્ય કર્યા છે. જો કે જેમાંની અમુક બાબતો એવી છે જે કોઈપણ કિંમતે ક્ષમાને પાત્ર નથી હોતી અને તેની સજા મહાદેવ દ્વારા નિર્ધારિત થાય છે.
જીવનમાં ગમેં તે કરો પણ આ આ પાંચ પાપ ક્યારેય ન કરો કેમ કે આ પાપ કરવાથી મહાદેવ નારાજ થઇ શકે છે અને તેનું કઠિન પરિણામ ભોગવવું પડી શકે છે.
1. કોઈ પારકી સ્ત્રી પર ખરાબ નજર નાખે કે સ્ત્રીની ઈચ્છા વગર નજીક જવાની કોશિશ કરે તેને ખુબ મોટું પાપ માનવામાં આવ્યું છે. જે કોઈપણ કિંમતે ક્ષમાને યોગ્ય નથી.
2. જે માં બાપે તમને જન્મ આપ્યો છે અને તમને મોટા કર્યા છે તેની ઈચ્છઓને ક્યારેય ન દુભાવો. વૃદ્ધાવસ્થામાં તેની સેવા કરવી એ તમારું કર્તવ્ય છે.
3. બીજાની સંપત્તિને ખોટી રીતે હડપવાનો પ્રયત્ન કરવો પણ એક મહાપાપની શ્રેણીમાં આવે છે, આવું કરનારને મહાદેવ ક્યારેય મોક્ષ નથી આપતા.
4. એક દીકરીના લગ્ન પણ તેની ઈચ્છા વિરુદ્ધ કરવા પણ પાપ માનવામાં આવે છે.
5. નિર્દોષ પ્રાણીઓ કે મનુષ્યને પણ ખોટી રીતે કષ્ટ આપવું ખુબ મહાપાપ માનામાં આવે છે. આવું કરનારને મહાદેવની ક્ષમા નથી મળતી અને ગંભીર પરિણામ ભોગવવું પડે છે.