દરેક શુક્રવારે કરી લો આ નાનો એવો ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી રહેશે તમારા ખિસ્સામાં ભરપૂર પૈસા

દરેક કોઈ પોતાના જીવનમાં માં લક્ષ્મીની કૃપા મેળવવા માગતા હોય છે. કેમ કે મહેનતની સાથે સાથે જો માં લક્ષ્મીની કૃપા હશે તો જ જીવનમાં ધન પ્રાપ્તિ થઇ શકે છે. માતાના આશીર્વાદથી દરેક કોઈના જીવનમાંથી પૈસાથી તંગી દૂર થાય છે. એવામાં ધાર્મિક શાસ્ત્રોના આધારે આજે અમે તમને એવા સરળ ઉપાય જણાવીશું જેનાથી માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન થઈને આશીર્વાદ આપશે અને સાથે જ તમારી આર્થિક સમસ્યાનું પણ નિવારણ આવશે.

માતાને પ્રસન્ન કરવા માટે તેમ જપમાળાથી ओम श्री श्रीये नमः. મંત્રનો જાપ માતાની છબી કે મૂર્તિ સામે બેસીને કરો. જો તમે દિવસમાં માત્ર એકવાર પણ મંત્રનો જાપ કરશો તો પણ તમને તેનું ફળ ચોક્કસ મળશે.

આ સિવાય તમે શુક્રવારે કાળી કીડીઓને ખાંડ ખાવા માટે આપો, કે પછી પીપળાના ઝાડ નીચે સાંજે કે સવારે ઘી નો દીવો પ્રગટાવો અને ઝાડને રાક્ષસુત્ર બાંધો. આવું કરવાથી માતા પ્રસન્ન થઈને તમારા પર ધનવર્ષા કરશે.

આ ઉપાયોથી તમારા ઘરમાંથી આર્થિક સમસ્યા હંમેશા માટે દૂર થઇ જશે અને સાથે જ જીવનમાં ચાલતી અડચણો અને સમસ્યાઓ પણ સમયના રહેતા દૂર થઇ જશે.

Team Dharmik