ગરમીની અંદર બજારમાં ઘણા બધા ફળો આવે છે. અને ફળ ખાવા દરેક ને ગમતા હોય છે. એવું જ એક ફળ છે જાંબુ. જાંબુ નાના બાળકથી લઈને ઘરડા વ્યક્તિ સુધી દરેકને ભાવતું હોય છે. વળી સારા સ્વાદની સાથે તેના સ્વાસ્થ્યવર્ધક પણ ઘણા ફાયદાઓ છે. જાંબુથી ઘણી બીમારીઓમાં રાહત મળે છે. જાંબુના ફાયદા તો આપણે ક્યાંકને ક્યાંક જાણ્યા જ હશે, પરંતુ શું તમે ક્યારેય તેના ઠળિયાના ફાયદાઓ વિશે જાણો છો?
જાંબુની જેમ જ તેના ઠળિયા પણ ખુબ જ ગુણકારી અને આયુર્વેદનો ખજાનો હોય છે. તો ચાલો જાણીએ જાંબુના ઠળિયાના ફાયદાઓ.
1. દાંતને બનાવે છે મજબૂત:
દાંતને મજબૂત અને સુંદર બનાવવા માટે જાંબુના ઠળિયા ખુબ જ ફાયદાકારક છે. તેના માટે તમારે જાંબુના ઠળિયાને ભેગા કરી અને તડકે સુકવી દેવા જોઈએ. ત્યારબાદ તેને પીસી અને તેનું ચૂરણ બનાવી લેવાનું છે. આ ચૂરણને રોજ દાંત ઉપર લગાવવાથી દાંત અને પેઢા પણ મજબૂત બનશે અને દાંતની પીળાશ પણ દૂર થશે.
2. ડાયાબિટીઝ માટે રામબાણ:
આજકાલ ડાયાબિટીઝના દર્દીઓ પણ ખુબ જ વધી રહ્યા છે તો તમે અથવા તમારું કોઈ પરિચિત આ સમસ્યાથી હેરાન થતું હોય તો તેમને રોજ સવારે એક ચમચી જાંબુના ઠળિયાનું ચૂરણ હલકા ગરમ પાણી સાથે આપી દેવું. તેનાથી ખુબ જ ફાયદો મળશે.
3. ટોયલેટમાં લોહી પડવું:
જે લોકોને ટોયલેટમાં જતી વખતે લોહી પડતું હોય એવા લોકોએ જાંબુના ઠળિયાના ચરણનું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી ઘણો જ ફાયદો મળે છે.
4. કિડનીની પથરીમાં લાભદાયક:
કિડનીની પથરીથી પીડાતા લોકો માટે જાંબુના ઠળિયાનું ચૂરણ કોઈ વરદાનથી ઓછું નથી. રોજ સવાર સાંજ એક એક ચમચી ચૂરણ લેવાથી કિડનીની પથરીમાં રાહત મળે છે. આ ઉપરાંત પેશાબમાં થતી તકલીફો પણ દૂર થાય છે.
5. મહિલાઓને માસિક ધર્મ દરમિયાન થતા દર્દમાં ફાયદાકારક:
મહિલાઓને માસિક ધર્મ દરમિયાન દુખાવો થતો હોય છે તો તેમાં જાંબુના ઠળિયાનું ચૂરણ ખુબ જ લાભકારક છે. રોજની એક ચમચી ચૂરણ આ સમસ્યામાં ઘણો જ ફાયદો આપે છે.
6. પાચન શક્તિ કરે મજબૂત:
જાંબુના ઠળિયાનું ચૂરણ નિયમિત લેવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પાચન શક્તિ વધારે મજબૂત બને છે.