કાળા ચણા અને મધ લગભગ મોટાભાગના ઘરની અંદર સરળતાથી મળી જાય છે. આયુર્વેદમાં ચણાને આપણા શરીર માટે ખુબ જ ગુણકારી જણાવવામાં આવ્યો છે. રોજ પલાળેલા ચણા ખાવાથી ઘણા બધા રોગોમાં લાભ મળે છે. ચણાની અંદર ઘણા બધા પોષક ત્તવો છે. તો મધ પણ શરીર માટે ઘણું જ ફાયદાકારક છે. આજે અમે તમને ચણા અને મધને ભેળવીને ખાવાથી થતા લાભો વિશે જણાવીશું.
1. પાચન શક્તિ વધારવામાં સહાયક:
ચણા ફાયબરથી ભરપૂર હોવાના કારણે તે પાચન ક્રિયા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમારું પાચન તંત્ર સારું રહેશે તો તમે કંઈપણ ખાસો જલ્દી પાચન થઇ જશે અને તમને ખાવાના બધા જ પોષક તત્વો પણ મળશે. માટે રોજ સવારે ઉઠીને ચણાની અંદર થોડું મધ ભેળવીને ખાવું.
2. ડાયાબિટીઝથી કરે છે બચાવ:
દુનિયાભરમાં કરોડો લોકો ડાયાબિટીઝથી પીડિત છે અને આ રોગ ઝડપથી વધી પણ રહ્યો છે. જયારે આપણું શરીર લોહીમાં રહેલા શુગરનની માત્રાને નથી શોષી શકતું ત્યારે આવી સ્થિતિમાં ડાયાબિટીઝનો જન્મ થયા છે અને શરીરમાં ગ્લુકોઝની માત્રા પણ વધવા લાગે છે. એવામાં જો તમે ડાયાબિટીઝથી બચવા માંગો છો તો રોજ કાળા ચણા અને મધનું સેવન કરો. આ બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરે છે.
3.કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખે છે:
જો તમે કોલેસ્ટ્રોલ લેવલને લઈને હેરાન થતા હોય તો રોજ ખાલી પેટે એક મુઠ્ઠી પલાળેલા કાળા ચણામાં મધ ભેળવી ને ખાવ. જેનાથી ર્મારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહેશે અને તમને હૃદય સંબંધિત કોઈ બીમારી નહીં થાય.
4. લોહીની ઉણપ થાય છે પુરી:
આપણા દેશમાં મોટાભાગના લોકો લોહીની ઉણપથી પરેશાન છે એવામાં લોહીની પૂરતી કરવા માટે ચણા અને મધ શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે આ બંનેની અંદર આયર્ન ભરપૂર માત્રામાં રહેલું છે જે લોહીની ઉણપને પુરી કરે છે.
5. કબ્જ અને પેટદર્દમાં મળે છે રાહત:
કબ્જ શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બને છે જેના કારણે રોજ સવારે પલાળેલા ચણા અને મધ ખાવાના કારણે આ સમસ્યામાંથી છુટકારો મળે છે.
6. દાંત અને હાડકા રાખે છે મજબૂત:
આપણા શરીરની અંદર હાડકા કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન એ ઘણા પ્રકારના મિનરલથી મળીને બનેલા હોય છે. જયારે હાડકાને આ બધા મિનરલ નથી મળતા તો તે ધીરે ધીરે કમજોર થવા લાગે છે. જો તમે એવું નથી ઇચ્છતા તો આજથી જ કાળા ચણા અને મધનું સેવન કરવાનું શરૂ કરી દો. તેનાથી તમારા હાડકા અને દાંત મજબૂત બનશે.