એક સમય હતો જયારે ઘરની મહિલાઓ નાહ્યાં બાદ તેના બધા કામની શરૂઆત કરતી હતી પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. સમયના અભાવને કારણે આજકાલની મહિલાઓ પહેલા ઘરના કામ કરે છે બાદમાં જ નિરાંતે સ્નાન કરે છે. તો ઘણી મહિલાઓ એવી પણ હોય છે કે જે નાહ્યાં વગર પણ ભોજન કરી લે છે. તો ઘણી વાર મહિલાઓ એવી પણ હોય છે કે જે સ્નાન કર્યા વગર ભોજન બનાવતી પણ હોય છે. હિન્દૂ શાસ્ત્રમાં આ ખોટું છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, મહિલાઓએ કોઈ કામ તો સ્નાન કર્યા બાદ જ કરવા જોઈએ જેમાં જમવું અને જમવાનું બનાવવું. જો આ ના કરવાથી ઘરમાં નેગેટિવિટી આવતી હોય છે અને આર્થિક તંગીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ.
હિન્દૂ ધર્મ શાસ્ત્રો અનુસાર, મહિલાઓએ સવારે સ્નાન કર્યા વગર રસોઈનો ચૂલો ચાલુ ના કરવો જોઈએ. ભોજનને અન્નપૂર્ણાનું રૂપ માનવામાં આવે છે. અને રસોઈને દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તેથી મહિલાઓએ ક્યારે પણ રસોડામાં સ્નાન કર્યા વગર ના જવું જોઈએ.
હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને સ્ત્રીઓએ સ્નાન કર્યા વિના ખોરાક ન લેવો જોઈએ. જે મહિલાઓ સ્નાન કર્યા વિના ખોરાક લે છે તેમના ઘરમાં હંમેશા મુશ્કેલી રહે છે. આ સાથે તેમના ઘરમાં ગરીબી છે. એવું કહેવામાં આવે છે કે પુરાણો અનુસાર સ્નાન કર્યા વિના અથવા ભોજન પછી સ્નાન અને પૂજા કરવાથી પૂજાના ફળ પ્રાપ્ત થતા નથી.