Jyotish Shastra

2023માં આ તારીખે શનિ કરશે કુંભ રાશિમાં ગોચર, આ રાશિના લોકો રહેશે ભાગ્યશાળી

શનિ રાશિ પરિવર્તન 2023: આવતા વર્ષે શનિદેવ ક્યારે કરશે રાશિ પરિવર્તન ? આ 3 રાશિઓનું ખુલવા જઈ રહ્યું છે ભાગ્ય, ધન અને સમૃદ્ધિનો થશે વરસાદ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શનિ બધા ગ્રહોમાં ધીમી ગતિથી ચાલનાર ગ્રહ છે. વર્ષ 2023માં શનિ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે. 17 જાન્યુઆરી 2023 શનિ રાશિ પરિવર્તન કરી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એવામાં કેટલીક રાશિ પર શનિની મહાદશા સમાપ્ત થઇ જશે અથવા તો સાડેસાતી સમાપ્ત થઇ જશે. સાથે જ આ ગોચરથી કેટલીક રાશિના લોકોને પરેશાનીઓથી મુક્તિ મળશે.

શનિ દેવ હાલ મકર રાશિમાં માર્ગી છે. તે આગળના વર્ષે 17 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 17 જૂન 2023 સુધી તે વક્રી એટલે કે ઉલ્ટી ચાલ ચલવાનું શરૂ કરશે. તેમની ઉલ્ટી ચાલથી 3 રાશિઓની કિસ્મત ચમકવાની છે. તો ચાલો જાણીએ ભાગ્યશાળી રાશિ કોણ છે અને તેમના જીવનમાં આગળના વર્ષે શું બદલાવ આવવાના છે.

મીન રાશિ : આ રાશિના લોકોને શનિ દેવની વર્કી થવા પર સારી નોકરીની ઓફર મળી શકે છે. તેમની નોકરીમાં પ્રમોશન થઇ શકે છે અથવા તો કોઇ નવી જવાબદારી મળી શકે છે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ સમય સારો છે. બિઝનેસમાં પ્રોફિટ વધશે અને કમાણીના નવા સ્ત્રોત બનશે.

સિંહ રાશિ : આ રાશિના લોકોને પારિવારિક ખાસ કરીને લગ્ન સાથે જોડાયેલ પરેશાનીઓથી નિજાત મળશે, રાજનીતિ સાથે જોડાયેલા લોકોને સંગઠનમાં મોટી જવાબદારી મળશે અને તેમને ક્યાંકથી ચૂંટણી લડવાની ટિકિટ પણ મળી શકે છે. ઘરમાં કોઇ નવા વાહન કે પ્રોપર્ટીનું આગમન થઇ શકે છે. તમે કોઇ નવા બિઝનેસમાં રોકાણ કરવાનો નિર્ણય લઇ શકો છો.

વૃષ રાશિ :વૃષ રાશિના લોકોના કર્મ સ્થાન પર શનિ બેસશે. આ કારણે તેમના માટે આવનાર વર્ષ ઘણુ સારુ રહેવાનું છે. બિઝનેસ કરવાવાળા લોકો માટે તેના વિસ્તારની સંભાવના બનશે. સાથે જ મુનાફામાં ઘણો વધારો થશે. નોકરી કરી રહેલા લોકોના પગારમાં વૃદ્ધિ થઇ શકે છે. તેમના પ્રમોશન સાથે સાથે નવી જગ્યા પર ટ્રાન્સફર પણ થઇ શકે છે.

(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ધાર્મિક દુનિયા આની પુષ્ટિ કરતુ નથી)