તમે સાળંગપુર હનુમાન દાદાના દર્શન તો કર્યા હશે પરંતુ આ વસ્તુ ચોક્કસથી તમે નોટિસ નહિ કરી હોય

સાળંગપુરમાં બિરાજમાન હનુમાન દાદાના દર્શને તમે ગયા જ હશો પણ હનુમાન દાદાની મૂર્તિ પાસે જે વસ્તુ આવેલી છે તેના વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય.

ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, ભક્તો અવાર નવાર મંદિરોમાં દર્શન માટે જતા હોય છે અને ઘણીવાર કેટલાક મંદિરો એવા હોય છે જયાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતી બધી જ સમસ્યાઓ દૂર કરતા હોય છે, ત્યારે ગુજરાતમાં એક મંદિર છે જયાં સાક્ષાત હનુમાન દાદા બિરાજમાન છે. અહીં જે ભક્તો આવે છે તેમના જીવનના બધા દુખો હનુમાન દાદા દૂર કરતા હોય છે, આ હનુમાન દાદાનું મંદિર સાળંગપુરમાં આવેલું છે.

આ હનુમાનજીના મંદિરમાં હજારો-લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે, અને અલગ અલગ માનતાઓ પણ રાખતા હોય છે. હનુમાન દાદા પણ બધા ભક્તોની માનતા પૂરી કરતા હોય છે. તમે કદાચ સાળંગપુર હનુમાનના દર્શન કર્યા હશે પરંતુ ત્યાં એક એવી વસ્તુ છે જે તમે ભાગ્યે જ જોઇ હશે. આ મંદિરમાં એક કૂવો પણ આવેલો છે, આ કૂવો 176 વર્ષ જૂનો હોય તેવું માનવામાં આવે છે, આ કૂવાનું પાણી આખું ગામ પીવા માટે આવતું હતું, તેથી તે જગ્યા પર સ્વામીએ હનુમાનજીનું મંદિર બનાવ્યું હતું, જે લોકો પાણી પીવા માટે આવે તે બધા જ લોકો હનુમાન દાદાના દર્શન કરે છે.

જે લોકો હનુમાનજીના દર્શન કરશે તેમના જીવનમાં ધન્યતા અનુભવાશે આવું વરદાન મંદિર બનાવીને સ્વામીજીએ આપ્યું હતું, ત્યારથી લઇને અત્યાર સુધી આ ગામમાં કોઈ મોટી સમસ્યા આવી નથી. ઘણી જગ્યાએથી ભક્તો આ હનુમાનજીના દર્શન કરવા આવે છે અને હનુમાનજી પણ ભક્તોનું જીવન ખુશીઓથી ભરી દે છે. હનુમાનજીની મૂર્તિ આગળ જે કૂવો આવેલો છે તે કુવામાંથી દર શુક્રવારના દિવસે પાણી લેવામાં આવે છે, ત્યારબાદ તે પાણીને હનુમાન દાદાની મૂર્તિની બાજુમાં બિરાજમાન ગોપાળનંદ સ્વામીની જે છડી આવેલી છે તેનો પર અભિષેક કરીને તે પાણીને મંદિરમાં આવતા ભક્તોને પ્રસાદીમાં આપવામાં આવે છે, તેથી આ મંદિરમાં ભક્તો હજારોની સંખ્યામાં હનુમાન દાદાના દર્શને આવતા હોય છે.

Team Dharmik