ગુજરાતની અંદર ઘણા બધા પવિત્ર યાત્રા ધામો આવેલા છે અને ઘણા યાત્રાધામનો મહિમા પણ અનેરો છે. એવું જ એક યાત્રાધામ છે અંબાજી. જ્યાં મા અંબાની ભક્તિ આરાધના કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે, સાથે જ માતાજીને ભેટ સોગાદ પણ અર્પણ કરતા હોય છે.
ત્યારે હાલમાં જ ગત મંગળવારના રોજ એક NRI માઇભક્ત દ્વારા મંદિરને સુવર્ણમય કરવા માટે 100 ગ્રામ સોનુ ભેટ આપવામાં આવ્યું હતું. આ ભક્ત દ્વારા અંબાજી મંદિરને સુવર્ણથી મઢવા માટે આ દાન કરવામાં આવ્યું છે. આ દાન આપનાર માઇભકતે પોતાનું નામ પણ જાહેર નથી કર્યું.
તમને જાણવી દઈએ કે હાલમાં મંદિરને સુવર્ણમય બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામને સરકાર દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જે અંતર્ગત ઘણાબધા માઈભક્તો દ્વારા સોનાનું દાન કરવામાં આવી રહ્યું છે, તે જ શ્રેણીમાં આ એનઆરઆઈ ભક્ત દ્વારા પણ રૂપિયા 4,90,000નું 100 ગ્રામ સોનુ ભેટ ધરવામાં આવ્યું હતું.
આ બાબાતે મંદિરના ઇન્સ્પેકટર સતીષભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે “એનઆરઆઇ પરિવાર દ્વારા માતાજીની પૂજા-અર્ચના કર્યા પછી સોનું ભેટ અપાયું હતુ. દરમિયાન મંગળવારે મંદિર દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જ્યાં માઇભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.”