મંગળવારે હનુમાનજી માટે કરો આ 10 કામ, દૂર થઇ જશે દુઃખનું નામો નિશાન

સુષ્ટિ ઉપરના એક માત્ર અજર અમર દેવ એટલે કે હનુમાન દાદા, જેમને કષ્ટભંજન તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાન દાદાનું નામ માત્ર લેવાથી જ દુઃખો દૂર થતા હોય છે. આજે અમે તમને મંગળવારના રોજ હનુમાનજી માટે કરવાના 10 કામો વિશે જણાવીશું જેના દ્વારા તમારા દુઃખો પણ દૂર થઇ જશે.

1. દુઃખો દૂર કરવા: જો તમારું જીવન પણ દુઃખથી ભરેલું છે તો નિરાશ થયા વિના હસતા મુખે હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીની પ્રતિમા ઉપર સિંદૂર લગાવીને પૂજા કરો. તમારા બધા જ દુઃખો દૂર થઇ જશે.

2. આર્થિક સંકટથી મુક્તિ મેળવવા: જો તમે પણ આર્થિક સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તો તેના માટે મંગળવારના દિવસે કરવામાં આવતો આ ઉપાય ખુબ જ લાભદાયક છે. મંગળવારના દિવસે સવારે એક વડના વૃક્ષ નીચે જઈને તેનું પાન તોડી લેવું અને એ પાનને ગંગાજળથી સાફ કરીને હનુમાન દાદાના ચરણોમાં અર્પણ કરવું, આમ કરવાથી તમારી આર્થિક સમસ્યા દૂર થશે.

3. નોકરીમાં પ્રમોશન મેળવવા માટે: ઘણા જ પ્રયત્નો કરવા છતાં પણ તમને નોકરીની અંદર પ્રમોશન નથી મળી રહ્યું તો મંગળવારના દિવસે પાનનું બીડું હનુમાનજી સમક્ષ અર્પણ કરો, આ કાર્ય 7 મંગળવાર સુધી કરો, તમને અચૂક સફળતા મળશે.

4. ધનની આવક વધારવા માટે: જો તમે ધનની આવક વધારવા માંગતા હોય તો મંગળવારના દિવસે લાલ રંગના વસ્ત્ર પહેરી અને હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબની માળા ચઢાવવી, તેનાથી લાભ થશે.

5. સંતાન પ્રાપ્તિ માટે: સંતાન પ્રાપ્તિ માટે મંગળવારના દિવસે ઉપાવસ રાખી અને સાંજના સમયે બૂંદીના લાડુ વહેવવા જેનાથી પણ સંતાન પ્રાપ્તિ થશે.

6. ખરાબ સપના આવતા હોય તો: જો તમને રાત્રે ખરાબ સપના આવતા હોય અને તેના કારણે તમે સારી રીતે સુઈ પણ ના શકતા હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના ચરણોમાં ફટાકડી રાખવાથી લાભ થશે.

7. દેવામાંથી મુક્તિ: જો તમારા માટેહ પણ મોટો કરજ થઇ ગયો હોય અને તેનો ઉકેલ તમને ના મળી રહ્યો હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો.

8. મનગમતું જીવનસાથી મેળવવા: જો તમારા લગ્ન ના થઇ રહ્યા હોય અને તમે મનગમતું જીવન સાથી મેળવવા માંગતા હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને 108 વાર ભગવાન શ્રી રામનું નામ લેવું, કારણ કે હનુમાનજી રામ ભક્ત હોવાના કારણે તે તમારી પ્રાર્થના જરૂર સાંભળશે.

9. સુખી દામ્પત્ય જીવન: મંગળવારે હનુમાનજીના મંદિરે સરસવના તેલનો દિપક પ્રજ્વલિત કરવો, અને ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવો, આમ કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ આવે છે અને સંબંધોમાં મીઠાસ બનેલી રહે છે.

10. ખરાબ શક્તિઓને ભગાડવા માટે: જો તમારા ઘરે અને તમારી આસપાસ ખરાબ શક્તિઓનો પ્રભાવ રહેતો હોય તો ૐ હનુમંતેય નમઃ મંત્રનો જાપ કરવો આ ઉપરાંત સંકટ કટે મિટે સબ પીડા, જો સુમિરે હનુમંત બલબીરાનો પાઠ કરવો.

Team Dharmik