પૂજા દરમિયાન આ ભૂલો ભૂલથી પણ ના કરવી, નહીં તો જીવનમાં આવી શકે છે સંકટ, જાણી લો કઈ કઈ ભૂલો છે એ

કહેવાય છે કે સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલી પ્રભુભક્તિ હંમેશા ઈશ્વર સુધી પહોંચે છે, પરંતુ ઘણીવાર આપણે સાચા માંથી પૂજા કરતા હોવા છતાં પણ આપણા કેટલાક કર્યો સફળ નથી થતા. ઘણીવાર આપણી નાની નાની ભૂલો પણ આપણી પૂજાને સફળ નથી થવા દેતી. આવી ભુલોનું ભાન આપણને પણ નથી હોતું. ત્યારે ઈશ્વર સુધી તમારી પ્રાર્થના નથી પહોંચી શકતી. પરંતુ જ્યોતિષ શાસ્ત્રની અંદર પૂજામાં થેલી આપણી ભૂલો આજે અમે તમને જણાવીશું કે કેવી નાની નાની ભૂલો પણ પૂજામાં કરવાના કારણે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.

દેવી દેવતાઓની મૂર્તિઓને જમીન ઉપર નથી રાખવામાં આવતી. તેમને લાકડી કે સોના ચાંદીના સિંહાસન ઉપર કે પછી બાજોઠ ઉપર થોડા ચોખા રાખીને તેના ઉપર દેવી દેવતાઓની મૂર્તિઓને સ્થાપિત કરવી જોઈએ. આ ઉપરાંત દેવી-દેવતાઓ વસ્ત્રો અને આભુષણોને પણ જમીન ઉપર ના રાખવા જોઈએ. ભગવાનને હંમેશા પવિત્ર વસ્ત્રો જ અર્પણ કરવા જોઈએ. આ માટે વસ્ત્રો અને આભુષણોને ક્યારેય જમીન ઉપર ના રાખવા. ભગવાનને કરવામાં આવતા દિપકને પણ ક્યારેય જમીન ઉપર ના રાખવો જોઈએ. તેને પણ થોડા ચોખા રાખીને કે પછી લાકડા કે બાજોઠ ઉપર જ રાખવો જોઈએ.

પૂજાની અંદર સોપારી અને સિક્કાનો પણ ઉપયોગ થતો હોય છે. સોપારી અને સિક્કાને પણ ક્યારેય જમીન ઉપર રાખવા ના જોઈએ. તમે જયારે શાલિગ્રામનો ઉપયોગ પૂજાની અંદર કરતા હોય ત્યારે તેને પણ જમીન ઉપર ના રાખવો જોઈએ. શાલિગ્રામને રેશમી કાપડ ઉપર રાખવો. જો તમારી પૂજાની અંદર મણિ અથવા તો રત્નનો ઉપયોગ થઇ રહ્યો છે તો તેને પણ ક્યારેય જમીન ઉપર ના રાખવા જોઈએ. તેમને સ્વચ્છ કપડામાં રાખવા. જનેઉંને પણ સ્વચ્છ કપડાંની અંદર જ રાખવી જોઈએ. કારણ કે તેને પણ દેવતાઓને મુખ્ય રૂપે અર્પિત કરવામાં આવે છે.

પૂજા દરમિયાન શંખને પણ ક્યારેય જમીન ઉપર ના રાખવો જોઈએ, તેને પણ કોઈ લાકડાની પટ્ટી અથવા તો કપડાં ઉપર રાખવો. ફૂલ ભગવાનને ચઢાવવામાં આવતું એક પવિત્ર વસ્તુ છે. તેને પણ ક્યારેય જમીન ઉપર ના રાખવા જોઈએ. તેને કોઈ ધાતુના અથવા તો સ્વચ્છ પાત્રમાં રાખવા જોઈએ. ભગવાનને પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવતા પાણીના કળશને પણ જમીન ઉપર ના રાખવો જોઈએ. તેને પણ થાળીમાં મુકવો.

Dharmik Duniya Team