જો તમે પણ ખુશહાલ જીવન જીવવા માંગો છો તો બસ કરો આટલું જ, નહિ રહે ધનની કમી

ખુશહાલ જીવન માટે રોજ કરો આ કામ, જીવનમાં નહિ રહે ક્યારેય ધનની કમી

સનાતન ધર્મના બધા મહાપુરાણોમાંનું એક ગરુડ પુરાણ છે. તેમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ પક્ષીની વાતચીતનું વર્ણન છે. આ પુરાણમાં જીવન, મોત અને તે બાદની ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યુ છે. ત્યાં ગરુડ પુરાણમાં ખુશહાલ જીવન જીવવાના ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. આ પુરાણમાં લખેલી વાતોનું અનુસરણ કરવામાં આવે તો માનવ જીવન ઘણુ સરળ થઇ જાય છે. ગરુડ પુરાણ અનુસાર, કંઇક એવા કાર્ય છે, જેને રોજ કરવા જોઇએ.

આ કામોને હિંદુ ધર્મમાં પણ ઘણા શુભ અને ફળદાયી જણાવવામાં આવ્યા છે. એવામાં એ જાણવું જરૂરી છે કે એવા કયા કેમ છે, જેને કરવાથી સુખી જીવન જીવી શકાય છે.હિંદુ ધર્મમાં ગાયની સેવા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગાયની સેવા કરવાથી અનેક પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગરુડ પુરાણમાં પણ ગૌશાળા બાંધવા અને ગાયોની સેવા કરવાની વાત કહેવામાં આવી છે. દરરોજ ગાયની સેવા કરવાથી વ્યક્તિએ જાણ્યે-અજાણ્યે કરેલા પાપોનો નાશ થાય છે.

ગરુડ પુરાણ અનુસાર દરરોજ ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ અને ક્ષમતા અનુસાર ભોજનનું દાન કરવું જોઈએ. જેના કારણે વ્યક્તિના પુણ્ય કાર્યોમાં વધારો થાય છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ ઘરમાં ભોજન બનાવવામાં આવે તો તેને સૌથી પહેલા ભગવાનને અર્પણ કરવું જોઈએ. જો કે, ભોગમાં હંમેશા સાત્વિક આહાર હોવો જોઈએ.

આ કરવાથી જ્યાં માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે, ત્યાં સાથે જ મા લક્ષ્મીની કૃપા પણ રહે છે. માણસે રોજ થોડો સમય પોતાના માટે કાઢવો જોઈએ. આ સમય દરમિયાન, વ્યક્તિએ શાંત ચિત્તે કરેલા સારા અને ખરાબ કાર્યો વિશે શાંત મનથી ચિંતન-મનન કરવું, આમ કરવાથી મન શાંત થાય છે.

(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ધાર્મિક દુનિયા તેની પુષ્ટિ કરતી નથી)

Team Dharmik