તો મિત્રો તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે સમયથી પહેલા અને નસીબથી વધારે કોઈને મળતું નથી અને કયાંકને કયાંક આ વાત એકદમ સાચી છે. પરંતુ આ ભાગ્યને બદલવાની તાકાત આપણા કર્મોમાં હોય છે કર્મોની મદદથી આપણે બધું જ મેળવી શકીએ છીએ. દરેક વ્યક્તિ પોતાના ભાગ્યને ચમકાવવા માંગે છે જેથી તેને જીવનમાં સફળતા મળે અને જીવન સુખ-શાંતિથી વીતી શકે. તો આજે એમ તમારા માટે રાશિ અનુસાર કેટલાક ઉપાયો લઈને આવ્યા છીએ. આ ઉપાયો કરવાથી તમારા ગ્રહોની સ્થિતિ મજબૂત થશે અને ટૂંક જ સમયમાં તમારું ભાગ્ય ચમકશે.
તો ચાલો જોઈએ રાશિ અનુસાર ઉપાયો.
મેષ રાશિ :
મંગળવારે ગોળનું દાન જરૂર કરવું જોઈએ, એવું કરવાથી આ રાશિના જાતકોને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ :
શુક્રવારે મિશ્રીનું દાન જરૂર કરવું જોઈએ, આવું કરવાથી આ રાશિના જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે.
મિથુન રાશિ :
બુધવારે આ રાશિના જાતકોએ લીલા રંગની મગની દાળનું દાન કરવું જોઈએ, આવું કરવાથી આ રાશિના જાતકોના વિવાહિત જીવનમાં ચાલી રહેલી તકલીફો દૂર થઇ જશે.
કર્ક રાશિ :
આ રાશિના જાતકોએ સોમવારે ચોખાનું દાન જરૂર કરવું જોઈએ, આવું કરવાથી તેમને માનસિક શાંતિ મળશે.
સિંહ રાશિ :
આ રાશિના જાતકોએ બુધવારે ઘઉંનું દાન જરૂર કરવું જોઈએ, એવું કરવાથી તમારું માન-સમ્માનમાં વધારો થશે.
કન્યા રાશિ :
આ રાશિના જાતકોએ બુધવારે જાનવરોને લીલો ચારો જરૂર ખવડાવવો જોઈએ, એવું કરવાથી તમારા જીવનમાં ચાલતી બધી સમસ્યાનો અંત આવી જશે.
તુલા રાશિ :
આ રાશિના જાતકોએ શુક્રવારે કન્યાઓને ખીરનું દાન આપવું જોઈએ, આવું કરવાથી તમારા જીવનમાં એશ્વર્યની પ્રપ્તિ થશે.
વૃષિક રાશિ :
આ રાશિના જાતકોએ મંગળવારે ગોળ અને ચણા વાંદરાઓને ખવડાવવા જોઈએ, એવું કરવાથી તમારા દુશ્મનોનો નાશ થાય છે.
ધનુ રાશિ :
આ રાશિના જાતકોને ગુરુવારે કોઈ પણ મંદિરમાં ચણાનું દાન કરવું જોઈએ, એવું કરવાથી તમારા જીવનમાં સુખ-શાંતિ આવશે.
મકર રાશિ :
આ રાશિના જાતકોને શનિવારે કંબલનું દાન કરવું જોઈએ, એવું કરવાથી નોકરીમાં આવતી બધી જ તકલીફો દૂર થઇ જશે.
કુંભ રાશિ :
આ રાશિના જાતકોએ શનિવારે કાળી અડદની દાળનું દાન કરવું જોઈએ, એવું કરવાથી તમારા ધંધામાં આવતી બધી જ તકલીફો દૂર થઇ જશે.
મીન રાશિ :
આ રાશિના જાતકોએ ગુરુવારે હળદર અને બેસનની મીઠાઈનું દાન કરવું જોઈએ, એવું કરવાથી જીવનમાં ધનની કોઈ અછત નથી થાય.