આજે જ તમારા ઘર અને ઓફિસમાં લગાવી દો આ એક જ પ્લાન્ટ, પછી જુઓ કેવો થાય છે ફાયદો, જાણો પ્લાન્ટ લગાવવાની સાચી રીત
આજના સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે અઢળક સંપત્તિ હોય, સુખ સુવિધાઓના સાધનો હોય, પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મહેનત કરવા છતાં પણ આપણને આ બધું નથી મળતું. પરંતુ તમારી મહેનત પર જ બધું નથી ટકેલું હોતું, કુદરતમાં પણ ઘણી એવી એવી વસ્તુઓ હોય છે જેના દ્વારા તમે તમારું કિસ્મત ચમકાવી શકો છો. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા બધા એવા નુસખા આપેલા છે જેના દ્વારા તમારું સુઈ રહેલું ભાગ્ય જાગી ઉઠે છે.
આજે અમે તમને એક એવા જ પ્લાન્ટ વિશે જણાવીશું જે તમને ઘણો ફાયદો આપશે. ઘણા લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવે છે, કારણ કે મની પ્લાન્ટ દ્વારા ઘરમાં લક્ષ્મીનો સંચાર થાય છે, પરંતુ આજે અમે તમને એક એવો પ્લાન્ટ જણાવીશું જેના દ્વારા મની પ્લાન્ટ કરતા પણ વધારે ફાયદો થશે.
તમે ઘણા ઘરોમાં સ્પાઈડર પ્લાન્ટ જોયા હશે. આ છોડ માત્ર વાસ્તુમાં જ નથી પરંતુ જ્યોતિષમાં પણ છે અને ફેંગશુઈમાં પણ તેને ભાગ્યશાળી અને શુભ માનવામાં આવે છે. લોકો પોતાના ઘરને સુંદર બનાવવા માટે ઘણી વસ્તુઓથી સજાવે છે. ઘણા લોકો તેમના ઘરને સજાવવા માટે છોડનો ઉપયોગ પણ કરે છે. વાસ્તવમાં, છોડ ઘરની અંદર અને બહારના વાતાવરણને સ્વચ્છ રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક છોડ શુભ હોય છે. જો આ છોડને યોગ્ય રીતે રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. આમાંથી એક છોડ સ્પાઈડર પ્લાન્ટ છે.
આ દિશામાં લગાવો સ્પાઈડર પ્લાન્ટ:
વાસ્તુશાસ્ત્રમાં વસ્તુઓ મૂકવાની દિશાનું વિગતવાર વર્ણન છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્પાઈડર પ્લાન્ટને ઘરની ઉત્તર, પૂર્વ, ઉત્તર-પૂર્વ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવું સારું છે. જો તમે આ પ્લાન્ટને તમારી ઓફિસમાં રાખવા માંગો છો, તો તમે તેને તમારા કાર્યસ્થળના ટેબલ પર રાખી શકો છો.
સ્પાઈડર પ્લાન્ટ ક્યાં લગાવવો?:
ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે સ્પાઈડર પ્લાન્ટને યોગ્ય જગ્યાએ રાખવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમે આ છોડને ઘરના લિવિંગ રૂમ, કિચન, બાલ્કની અથવા સ્ટડી રૂમમાં લગાવી શકો છો.
આ નિયમોનું પાલન કરો:
જો તમે તમારા ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ રાખો છો, તો તેને સુકાવા ન દો. જો તે સુકાઈ જાય તો તેને કાઢીને નવો છોડ વાવો. ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં સ્પાઈડર પ્લાન્ટ લગાવવાથી અશુભ પરિણામ મળી શકે છે. આ છોડને યોગ્ય દિશામાં લગાવવો જોઈએ.
હવા શુદ્ધિકરણ તરીકે કામ કરે છે:
ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ લગાવવાથી હવા શુદ્ધ થાય છે. તે એર પ્યુરિફાયરની જેમ કામ કરે છે. હવામાં હાજર ટોલ્યુએન, કાર્બન મોનોક્સાઇડ, ઝાયલીન, ફોર્માલ્ડિહાઇડને દૂર કરવામાં મદદ કરે છે.
તણાવ દૂર કરે છે:
ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ રાખવાથી સ્ટ્રેસ હોર્મોન ઓછું થાય છે. આ સિવાય બ્લડપ્રેશર, હ્રદયરોગ અને ટેન્શનની સ્થિતિમાં છોડને રૂમમાં રાખવાથી ફાયદો થાય છે.