ઘરમાં રાખો આ 5 વસ્તુઓ, ગરીબ માણસ પણ બની શકે છે કરોડપતિ
શાસ્ત્રોમાં જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન જણાવામાં આવેલું છે, પણ જો નિયમોના આધારે તેનું પાલન કરવામાં આવે તો જ ઈચ્છીત પરિણામ મળે છે. આજના સમયમાં દરેકની સૌથી મોટી સમસ્યા આર્થિક તંગી છે. તનતોડ મહેનત કરવા છતાં પણ સફળતા હાથમાં નથી આવતી. એવામાં શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે તમને એવા ઉપાય જણાવીશું જેનાથી તમને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકે. તમારે માત્ર આ વસ્તુઓ ઘરમાં રાખવાની રહેશે, જે તમને કામિયાબી સુધી પહોંચાડશે.(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
1. સોનેરી માછલી(ગોલ્ડન ફિશ):
સોનેરી રંગની માછલી ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. સોનેરી માછલીને જો ઘરના દીવાન ખંડમાં રાખવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે. અને જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી નહીં આવે.
2. ફેંગશુઈ-ત્રણ પગ વાળો મેંઢક(દેડકો):
ફેંગશુઈ શાસ્ત્રના આધારે ત્રણ પગ વાળો દેડકો ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજા પાસે કે ઉત્તર દિશામાં ત્રણ પગ વાળો દેડકો રાખવાથી ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બનેલી રહે છે.
3. મોરના પીંછા:
ઘરમાં કે મંદિરમાં મોરનું પીંછુ રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં મોરના પીંછા રાખવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને માં લક્ષ્મીની કૃપા હંમેશા બનેલી રહે છે.
4. કાચબો:
ઘરમાં કાચબો રાખવો સૌથી વધારે શુભ માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ દર્શાવેલો છે. ઘરમાં કાચબો રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે, અને તમને માલામાલ બનાવી દે છે.
5. સફેદ પથ્થર:
ઈંડા આકારનો સફેદ પથ્થર જો ઘરમાં રાખવામાં આવે તો લક્ષ્મી પણ આવા ઘરમાં વાસ કરવા માટે આવે છે અને ઘરમાં હંમેશા સુખ-શાંતિ બનેલી રહે છે.